વાંકાનેર ના રાણેકપર પ્રાથમિક શાળા નું ગૌરવ
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને બહાર લાવવા ગુજરાત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા NMMS અને PSE તેમજ જવાહર નવોદય પરીક્ષામા ઉતમ પરિણામ લાવવા અગ્રેસર છે.જેની તૈયારી શાળા ના સમાજ ના શિક્ષક નરેન્દ્ર ભાઈ કુબાવત કરાવે છે. હાલ માં લેવાયેલ 2022/23 માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા PSE શિષ્યવૃત્તિ સ્કોલરશિપ પરીક્ષામાં મૂંધવા આશા રામાભાઇ એ પરીક્ષા પાસ કરી શાળા અને પરિવાર નું નામ રોશન કર્યું છે.તે બદલ રાણેકપર શાળા પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે.