તા.13/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં ગામોમાં છેલ્લા અનેક દિવસોથી પશુઓ ઉપર એસીડ હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અગાઉ વિરપર ગામે નંદી પર ધારીયાથી હુમલો કરવામાં આવ્યો હતો બાદ કુંતલપુર ગામે નંદી પર એસિડ હુમલો કરવામાં આવેલ ફરી નંદીની આંખ પર એસિડ હુમલો થતાં દર્દનાક મોત નિપજ્યું હતું ત્યારે ગૌપ્રેમી અને જીવદયા પ્રેમીઓ માં રોષની લાગણી ફેલાઇ છે આ કૃત્ય કરતાં નરાધમોને ઝડપથી પકડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું ગૌપ્રેમી અને જીવદયા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા દિપકસિંહ ઝાલાએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને તંત્ર દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને નરાધમોને ઝડપથી પકડી પાડવા માટે જણાવ્યું હતું અબોલ જીવો પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી દિપકસિંહ ઝાલા જીવદયા, સેવાકીય પ્રવૃતિઓ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે અત્યાર સુધીમાં અનેક પશુઓને બચાવવાની સરાહનીય કામગીરી તે ઓએ કરી છે તેઓની ટીમ મુળી તાલુકાનાં ગામોમાં જઈ પશુઓ ને સારવાર આપી સેવાકાર્ય કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ નરાધમો એસીડ હુમલાઓ બંધ કરશે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.