મહિલાને લગ્નની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ
સાબરમતીના ચેનપુર વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ આશિષ જયંતીભાઈ વાડીયા સામે દુષ્કર્મ ધાકમકી અને મારમારવાની કલમો હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફેસબૂકથી આરોપીનો પરિચય થયા બાદ નંબરોની આપલે થઈ હતી. તે પછી આરોપી મહિલાને ઉદેપુર ફરવા લઈ ગયો ત્યાંથી પરત ફર્યા બાદ સહેલીના ઘરે મહિલાને મંગળસૂત્ર પહેરાવી સિંદુર પુરી આરોપીએ લગ્નની ખાતરી આપી હતી. આ રીતે મહિલાને ભોળવી આરોપીએ તેની સાથે હોટલમાં દુષ્કર્મ આર્ચયું તેમજ અવાનવાર મહિલાના ઘરે પહોંચી આરોપીએ જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાએ આરોપી વિરૂદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા લગ્નની ખાતરી આપી સમાધાન કર્યું હતું. તે પછી આરોપી મળવા આવતો ન હોવાથી મહિલા તેના ચાંદલોડીયા ખાતેના ઘરે ગઈ હતી. આરોપી અને તેની પત્નીએ મહિલાને મારમારતા સોલા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. આ અરજીના સમાધાનમાં આરોપીએ મહિલાને રાખવાની વાત કરી હતી. બાદમાં મહિલા પોતાનું આબાંવાડી ખાતેનું મકાન બદલી ચેનપુર રહેવા માટે જતી રહી હતી. ચેનપુરના ઘરે પર આરોપી પહોંચી મહિલા સાથે જબજસ્તી કરી દુષ્કર્મ આચરતો તેમજ ધમકી આપતો હતો. મહિલાને હું તારા વગર મરી જઈશ જેવી ધમકી આપી ડરાવતો હતો. સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલાએ અરજી આપતા આરોપીએ લગ્નની વાત કરી સમાધાન કર્યું બાદમાં સંપર્કો તોડી નાંખ્યા હતા.સાબરમતી પોલીસે મહિલાની ફરિયાદ આધારે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.