LUNAWADAMAHISAGAR

સંતરામપુર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું અધિક નિવાસી કલેક્ટર સી વી લટાની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

સંતરામપુર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું અધિક નિવાસી કલેક્ટર સી વી લટાની ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું

૭૪માં પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં અધિક નિવાસી કલેક્ટર

મહીસાગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે થનાર છે. જે અન્વયે આજરોજ અધિક નિવાસી કલેક્ટર ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં અધિક નિવાસી કલેક્ટરએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. વધુમાં અધિક નિવાસી કલેકટરએ સર્વે અધિકારીઓને ૭૪માં પ્રજાસત્તાક પર્વ યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!