GUJARATLUNAWADAMAHISAGAR

MGVCL દ્વારા મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ૨૨.૪૫ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવાશે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લોકસભા ચૂંટણી-૨૦૨૪:મતદાર જાગૃતિ અભિયાન

ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ:મતદાન આપના સૌની ફરજ,તેને ચૂકશો નહી

MGVCL દ્વારા મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ૨૨.૪૫ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવાશે

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આગામી તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ SVEEP અને TIP અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ મતદાન જાગૃતિ અભિયાનમાં હવે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.પણ સહભાગી બની છે.

જેના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. દ્વારા કંપનીના એમ.ડી.  તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર,પંચમહાલ અને દાહોદ સહિત સાત જિલ્લાઓમાં ૨૨.૪૫ લાખ જેટલા વીજ ગ્રાહકોમાં વીજ બીલમાં મતદાન જાગૃતિ માટે *ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ*, *મતદાન આપના સૌની ફરજ,તેને ચૂકશો નહી* સૂત્ર સાથેના રબર સ્ટેમ્પ મારી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.

આ અંગેની વિગતો આપતા મધ્ય ગુજરાત વીજ કંપનીના જનરલ મેનેજર  જે.એચ.મોદીએ જણાવ્યું હતું કે,કંપની દ્વારા ફેબ્રુઆરી – માર્ચના વીજ બીલમાં સાત જિલ્લાના ૭,૫૬,૨૧૭ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે.જ્યારે તા.૬ મે સુધી ગ્રાહકોને આપવામાં આવનાર માર્ચ – એપ્રિલના વીજ બીલમાં વધુ ૧૪,૮૯,૭૩૩ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે.આમ સાત જિલ્લામાં કુલ ૨૨,૪૫,૯૫૦ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચશે.

કંપની દ્વારા ફેબ્રુઆરી – માર્ચના બીલમાં વડોદરા જિલ્લામાં ૨,૭૩,૧૨૧, છોટાઉદેપુરમાં ૪૯,૩૬૪, આણંદમાં ૧,૨૮,૨૭૩, ખેડામાં ૧,૦૯,૨૮૬,

મહીસાગરમાં ૫૩,૪૫૬, પંચમહાલમાં ૭૯૪૯૯ અને દાહોદ જિલ્લામાં ૬૩,૨૧૮ સહિત કુલ ૭,૫૬,૨૧૭ ગ્રાહકોના વીજ બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા છે.

કંપની દ્વારા આગામી તા.૬ મે,સુધી વિતરણ થનાર માર્ચ – એપ્રિલના બીલમાં વડોદરા જિલ્લામાં ૫,૩૮,૦૩૫, છોટાઉદેપુરમાં ૯૯,૧૪૭, આણંદમાં ૨,૬૯,૦૫૧, ખેડામાં ૨,૦૩,૫૨૬,મહિસાગરમાં ૧,૦૨,૩૨૬,પંચમહાલ ૧,૪૯,૩૫૪ અને દાહોદ જિલ્લામાં ૧,૨૮,૨૯૪ સહિત કુલ ૧૪,૮૯,૭૩૩ વીજ ગ્રાહકોના બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવશે તેમ  મોદીએ જણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!