GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકામાં લગ્નની ખરીદી કરવા જતા વરરાજા ને નડ્યો અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે બે યુવાનોના મોત નીપજ્યા

સંતરામપુર તાલુકામાં લગ્ન ની ખરીદી કરવા જતાં વરરાજાને નડયો અકસ્માત…

અમીન કોઠારી:- મહીસાગર તા.૧૯/૪/૨૪

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામનાં નવીગઢી ફળિયા નાં રહીશ લાલાભાઈ નાં દિકરા મહેશભાઈ ના લગ્ન 25,04,2024 નાં રોજ નિરધારેલ હતાં.પરંતુ તે કુદરતને મંજુર નાં હોઈ આ વરરાજા મહેશભાઈ તેમનાં કુટુંબી ભાઈઓ સાથે ખેડાપા ધરેથી બાઈક પર સંતરામપુર લગ્ન ની ખરીદી કરવા નિકળેલ અને લગ્ન ની ખરીદી કરીને પરત સંતરામપુર થી ધરે ખેડાપા જતાં હોય ત્યારે ડોટાવાડા ગામ નજીક થી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક પીકી અપ ડાલા નાં ડાયવરે તેનું વાહન બાઈક ને અથડાવતાં બાઈક ચાલકને બાઈક પર સવાર યુવાનો ફંગોળાઈ જતાં ધટના સ્થળે જ બે યુવાનો કમલેશભાઈ ને શૈલેષભાઈ નાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

 

જયારે વરરાજા મહેશભાઈ ને પગે ને શરીર પર ગંભીર ઈજા થતાં તેને સંતરામપુર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર માટે વરરાજાને લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

આ ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ બે યુવાનો નાં મોત થતાં ને વરરાજાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં આ ધટના થી ગામમાં ધેરાશોક ની લાગણી જોવા મળે છે.

આ ધટનાની જાણ થતાં સંતરામપુર પોલીસ ધટના સ્થળે દોડી ગયેલ અને કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ ને મોતને ભેટેલા બંન્ને યુવાનો ને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ને પોસ્ટમોર્ટમ બાદ બંન્ને યુવાનો ની લાશને તેમના કુટુંબીજનો ને સુપ્રત કરવામાં આવેલ.પોલીસે આ બનાવમાં કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ છ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!