ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો પરિણામ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, હાઇકોર્ટના દ્વારે
ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવારોએ હવે હાઈકોર્ટમાં ઘા નાંખી છે. બંને પક્ષના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો કોર્ટમાં થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોએ કરેલી અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નિંગ ઓફિસરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ અરજીમાં દલીલ પણ કરી છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, પરિણામ બાદ અમને 58% મતદાનનું સર્ટિફિરેટ અપાયુ છે અને રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યુ છે. અગાઉ રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
રઘુ દેસાઈએ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી હતી. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.