BANASKANTHAPALANPUR

ચંડીસર જી.આઈ.ડી.સી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાલનપુર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો                                  

2 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી પાલનપુર દ્વારા જી.આઇ.ડી.સી. ચંડીસર ખાતે મિશન લાઇફના ભાગરૂપે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વચ્છતાની સાથે સાથે ઉપસ્થિત સૌને મિશન લાઇફના સાત આધાર સ્તંભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓને પર્યવારણની જાળવણી માટે સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા આપીલ કરવામાં આવી હતી. તેમજ કપડાંની થેલીનો વપરાશ કરવા, પ્લાસ્ટીકનો રિસાઇકલ કરી વપરાશ કરવા તથા ઇકો ફ્રેન્ડલી ચીજો વાપરવા સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીશ્રી જે.એમ.ચૌધરી તથા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!