BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે “પર્યાવરણ સંવર્ધન” કાર્યક્રમ યોજાયો
6 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-5/7/2024 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે “પયૉવરણ સંવર્ધન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ એક વિદ્યાર્થી એક વૃક્ષ અંતર્ગત વિદ્યાર્થીઓને રોપા આપી તેનું સંવર્ધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.





