GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા આર્ય સમાજ દ્વારા ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન 

TANKARA:ટંકારા આર્ય સમાજ દ્વારા ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન

 

આર્ય સમાજ ટંકારા દ્વારા આયોજિત ત્રિદિવસીય દિવ્ય સત્સંગ આગામી તારીખ 31 જુલાઈ થી બીજી ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણા સૌના જાણીતા વેદોના અને દર્શનોના પ્રકાંડ વિદ્વાન પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદ પરિવારજક આપણને તેમના દિવ્ય જ્ઞાનનો લાભ આપવા પધારી રહ્યા છે ત્યારે આપણા બધાનું કર્તવ્ય છે કે સમયસર ઉપરોક્ત ટાઈમ ટેબલ અનુસાર પરિવાર સાથે મિત્રો સાથે ચોક્કસથી પધારીએ અને વધુને વધુ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાઈ તેવો પ્રયાસ કરતા રહીએ આજથી જ આ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર શરૂ કરી દઈએ અને આપણા સ્વામીજીની 200મી જન્મ જયંતીના કાર્યકર્તાઓ તરીકે જે આપણી સાથે નવા પરિવારો જોડાયા હતા તેમને પણ આપણે બધા આમંત્રિત કરીએ અને આ સત્સંગ વધુ સારો બને તેવો પ્રયાસ સાથે મળીને કરતા રહીએ ધન્યવાદ

Back to top button
error: Content is protected !!