આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે હરગર તિરંગા યાત્રાની ઇડર શહેર મા શરૂવાત…
સાબરકાંઠા…
આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે હરગર તિરંગા યાત્રાની ઇડર શહેર મા શરૂવાત…
ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાને લઇ સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું…
સાબરકાંઠા ના ઈડર ખાતેથી આજે આગામી 15 મી ઓગસ્ટ નિમિત્તે હરગર તિરંગા યાત્રા ની શરૂઆત થઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી ની હાજરી માં અંદાજિત સાત કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. જે જિલ્લાના મોટાભાગના તમામ ગામડાઓ સુધી પહોંચશે તેમજ હરગર તિરંગા અભિયાનને સાર્થક કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવશે. સાબરકાંઠા ના ઇડરમાં આજે હરગર તિરંગા યાત્રા ની શરૂઆત થઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સમાહર્તા રતન કુંવરબા ગઢવી દ્રારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવામાં આવ્યુ હતું જેમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસવળા સહિત પૂર્વ કેબિનેટ અધ્યક્ષ રમણલાલ વોરા તિરંગા યાત્રામાં જોડાયા હતા. ત્રણ કિલોમિટર લાંબી તિરંગા યાત્રાને લઇ સમગ્ર ઈડર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. જોકે આગામી સમયમાં દરેક ભારતીય ને રાષ્ટ્રપ્રેમ ઉજવવા સહિત દેશના વિકાસમાં ભૂમિકા ભજવવા તિરંગા યાત્રા પાયારૂપ બની રહી છે. ત્યારે આજથી શરૂ થયેલી આ યાત્રા આગામી ત્રણ દિવસ સુધીમાં જિલ્લાભરમાં યથાવત રહેશે. ત્યારે જીલ્લા કલેકટર દ્રારા સમગ્ર જીલ્લા વાસીઓને 15મી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવી પોતાનાં મકાન ઓફિસ સહિત કોમ્પલેક્ષ પર તિરંગો લહેરાવા અપીલ કરી હતી..
જયંતિ પરમાર સાબરકાંઠા