MORBI:મોરબીના વનાળીયા ગામે કોઈ નરપિશાચે ગૌવંશ આખલા પર એસિડ છાંટયું! પશુ પ્રેમીઓની લાગણી દુભાઇ!
MORBI:મોરબીના વનાળીયા ગામે કોઈ નરપિશાચે ગૌવંશ આખલા પર એસિડ છાંટયું! પશુ પ્રેમીઓની લાગણી દુભાઇ!
ગામના દરેક લોકો આ ગૌવંશ ની સારવારમાં લાગ્યા!
મોરબી થી ૧૨ કિલોમીટર દૂર નવલખી રોડથી અંદરના ભાગે આવેલા વનાળીયા ગામે ગૌવંશ આખલા ઉપર કોઈ નરપિશાચે એસિડ છાંટતા આખલા નાં શરીરની ચામડી ઉતરી ગઈ છે. જેની સારવારમાં આખા ગામના લોકો ખડે પગે છે આ અંગે ગામના યુવાને પોલીસમાં અરજી આપી છે. આ બાબતે વાત કરીએ તો આ હળાહળ કળિયુગમાં કોઇ ભેંસ ને રેઢિયાળ રખડતી જોય છે? ત્યારે જેને માતાનું પદ આપ્યું છે એવી ગાય માતાઓ અને તેમના વંશજો આખલાઓને ગમે ત્યાં રખડતા જોઈ શકો છો. પરંતુ જ્યારે આ રેઢિયાળ ઢોરને કોઈ હેરાન કરે ત્યારે જીવદયા પ્રેમીઓના જીવ કકડી ઊઠે છે. અને આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વનાળીયા ગામે ગૌવંશ આખલા ઉપર એસીડ છાંટતા આ આખલો કણસતો કણસતો ગામના પાદરમાં આવ્યો હતો. ત્યાં ગામના યુવાનો રોહિત વિલપરા, હિતેશ પાડલીયા, નવીનભાઈ પટેલ, સરપંચ અકબરભાઈ સુમરા સહિત નાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ ગૌવંશ આખલાની સારવાર શરૂ કરી હતી. હાલ આ ઘાયલ આખલા નેં ગ્રામ પંચાયતમાં નાં પટાંગણમાં રાખવામાં આવ્યો છે. અને તેની સારવાર કરવામાં આવે છે અને ખાવાનું પૂરું પાડવામાં આવે છે. તેમજ તેમની દવા પણ છાંટવામાં આવે છે આ નરાધમ કામ કરનારાઓ તમે કડક કાર્યવાહી કરવા ગામના યુવાને રોહિત વિલપરા એ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.રીપોર્ટ:- શ્રીકાંત પટેલ મોરબીમો.નં.૯૯૭૮૩૯૮૮૮૫