GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
		
	
	
કાલોલ તાલુકાના પીંગળી નવચેતન વિદ્યામંદિર ખાતે રાસ ગરબા નું ભવ્ય આયોજન કરાયું.

તારીખ ૧૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ની નવચેતન કેળવણી મંડળ સંચાલિત નવચેતન વિદ્યામંદિર ખાતે ગરબા અને રાસ નું નવરાત્રી ના પાવન પર્વ નિમિતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદ્ય શક્તિ માં અંબે માતાજી ની આરતી કરી ગરબાની શુભ શરૂઆત કરાઈ હતી ગરબો અને ગરબી નું તાત્પર્ય અને મહત્વ અને તેની વ્યાખ્યા વિશેષ કવિ વિજય વણકર” પ્રીત” દ્વારા સમજ આપી હતી આ તબ્બકે આચાર્ય સમીરભાઈ શાહ અને એચ જી ગોસાઈ તથા માનસીબેન સોલંકી સ્ટાફ સહિત ગરબા ગાવા માં જોડાયા હતા જેમાં વિદ્યાર્થીઓ હોસ ઉમંગ થી આ પર્વ માં જોડાયા હતા અને ગરબા ની રમઝટ જામી હતી શિક્ષક ગણ અને કેળવણી મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
				





