GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પાટીદાર નવરાત્રી થયેલ નફામાંથી શહીદ પરિવારને 26 લાખનું અનુદાન અને પાટીદાર કેરિયર એકેડમિમાં 15 લાખનું અનુદાન

MORBI:મોરબીમાં પાટીદાર નવરાત્રી થયેલ નફામાંથી શહીદ પરિવારને 26 લાખનું અનુદાન અને પાટીદાર કેરિયર એકેડમિમાં 15 લાખનું અનુદાન

 

 

પાટીદાર નવરાત્રીમાં 41.37 લાખનો નફો આઠમના દિવસે જાહેરમાં અજય લોરીયાએ જાહેર કર્યો

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવાર અને પાટીદાર કેરિયર એકેડમીના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આયોજક અજય લોરીયાએ આઠમના દિવસે જાહેરમાં નવરાત્રીનો હિસાબ આપ્યો હતો જેમાંથી 41.37 લાખનો નફો થયો હતો જેમાંથી 15 લાખનો ચેક પાટીદાર કેરિયર એકેડમિમાં આપ્યો હતો અને દરરોજ બે શહીદ પરિવારનું સન્માન કતી એમને એક – એક લાખનો ચેક અર્પણ કરતા 9 દિવસમાં 26 શહીદ પરિવારોને 26 લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. અને અજય લોરીયાએ જણાવ્યું હતું કે અમે કોઈ નફો માટે નથી કરવા સેવા ભાવના માટે નવરાત્રી કરીએ છીએ. માતાજી અમને વધુ ને વધુ સેવા કરવાની શક્તિ આપે એવી જગદંબાની પ્રાર્થના

Oplus_131072

Back to top button
error: Content is protected !!