યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીનું નવમું નોરતુ તેમજ દશેરાને લઈને માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧૦.૨૦૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી નું નવમું નોરતુ તેમજ દશેરા ને લઈને સાથે સાથે શનિવારની રજા હોય માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ હતુ. એક લાખ ઉપરાંત માઇ ભક્તો એ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.જેમાં આસો નવરાત્રિના નવમાં નોરતાએ શનિવાર ના રોજ માતાજીના દર્શનાર્થે શુક્રવાર મધ્યરાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ માટે પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જિલ્લા સમાહર્તાના ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધના પગલે એસટી દ્વારા ૨૩, એસ.ટી બસ ચલાવવામાં આવી હતી. જેના દ્વારા એસ.ટી.એ ૧૧૧૦, અપ એન્ડ ડાઉન ટ્રીપ જેમાં ૪૫,૨૨૧ યાત્રાળુ ઓ એ યાત્રા કરી હતી. જેના દ્વારા એસટીને ૮,૭૧,૫૯૦ રૂપિયાની આવક થઈ હતી.








