GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે 325 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર જેટલાં લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ જલારામ મંદિરે 325 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર જેટલાં લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદના આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેકઅપ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગથી  325 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિરનાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 325 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23149 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની શરૂઆત ભોજન દાતા જમનાદાસભાઈ દેવાણી, યાજ્ઞિક એન્ટરપ્રાઈઝ વાળા અનીરુદ્ધસિંહ સિસોદિયા, યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરનાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડો તન્ના,ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડો પરિતોષ પટેલ, ભીમભાઈ કરાંગિયા, હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘોડાસરા ,સોંદરવા રતનબેન, ડો ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં 165 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 50 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતાં. મહાદેવ આયુર્વેદીક ક્લિનિકનાં સોંદરવા રતન મેમ દ્વારા મશીન થી સંપૂર્ણ બોડી ચેક અપ ની સેવા આપેલ હતી. ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવાવગેરે માટે સેવા આપેલ, ડો નિકિતા પટેલ દ્વારા હોમિયો પેથીક સારવાર તેમજ ફ્રી દવા આપવામાં આવેલ. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ પટેલ, ભગવતસિંહ દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, ત્રિવેદી સાહેબ , મહાવીરસિંહ જાડેજા, અશ્વિન પટેલ, જીજ્ઞેશ સોઢા દ્વારા કરવામાં આવેલ..

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!