આણંદ ના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં દુર્ઘટના ગડર નો ભાગ ધરાશાયી.

આણંદ ના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં દુર્ઘટના ગડર નો ભાગ ધરાશાયી.
તાહિર મેમણ – આણંદ – 05/11/2024 – ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ટ્રેકનું નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. પુલના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી. હા. જસાણીએ જણાવ્યું કે, વાસદ પાસે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, જેમાં લોખંડની જાળી પડી જવાથી ત્રણથી ચાર મજૂરો દટાયા હોવાની માહિતી મળી હતી. બે મજૂરોના મોત થયા હતા, જ્યારે એક મજૂરનો બચાવ થયો હતો. હજુ એક મજૂર ફસાયેલો હોવાની આશંકા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
આ ટ્રેક 508 કિલોમીટર લાંબો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટમાં ગુજરાતનો 352 કિમી અને મહારાષ્ટ્રનો 156 કિમીનો સમાવેશ થાય છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશન બનાવવાની યોજના છે.નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. NHSRCL એ 12મો પુલ જે સફળતાપૂર્વક બાંધ્યો છે તે 120 મીટર લાંબો છે.





