નવસારીના કછોલ ગામે “મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

<વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી


આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવન માટે અલૌકિક ચેતનાની ક્ષણ બની છે. મંત્રીશ્રીએ નવસારીમાં પ્રથમવાર આયોજિત થયેલ “અતિરૂદ્ધ મહાયજ્ઞ” દ્વારા લોકોને આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ સાથે દિવ્ય અવસર બની રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
<span;> આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા “અતિરૂદ્ધ મહાયજ્ઞ”નું સુંદર આયોજન કરી જનજન સુધી મહાદેવના આશીર્વાદ પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.


