MORBI:મોરબી મમુદાઢી હત્યા કેસના આરીફ મીર સહિતના ત્રણ ઈસમોના 15 દિવસના રિમાન્ડ મંજુર
MORBI મોરબી મમુદાઢી હત્યા કેસના આરીફ મીર સહિતના ત્રણ ઈસમોના 15 દિવસના રિમાન્ડ મંજુર
મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં મમુ દાઢીની હત્યા હત્યાના ગુનામાં અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ઈસમો ફરાર હતા અને ગુજ્સીટોક કોર્ટમાં સરન્ડર કર્યા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો હતો અને આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
ગત તા. ૦૭-૦૯-૨૦૨૧ ના રોજ શનાળા બાયપાસ નજીક મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે તા. ૦૮-૦૯-૨૧ ના રોજ ગુનો નોંધાયો હતો બાદમાં તા. ૩૦-૦૯-૨૧ ના રોજ આરીફ મીર અને તેની ગેન્ગના ૧૮ ઈસમો વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કરાયો હતો જેમાં અગાઉ પોલીસે ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જોકે હત્યાના ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ફરાર હતા ગત તા. ૨૫ ને સોમવારે ગુજસીટોક કોર્ટમાં આરોપી આરીફ ગુલમામદ ધોળા/મીર, મકસુદ ગફુર સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા એમ ત્રણ ઇસમોએ કોર્ટમાં સરન્ડર કર્યું હતું જેથી મોરબી પોલીસે આરોપીઓની કબજો મેળવ્યો છે અને કોર્ટે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જે મામલે ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું છે કે ગુજસીટોકની કલમનો ઉમેરો કરી અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા ત્રણ આરોપી ફરાર હતા જેને કોર્ટમાં સરન્ડર કરતા તેનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યા છે આરોપીઓના ૧૫ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે ત્યારે હત્યાના બનાવ બાદથી એટલે કે સવા ત્રણ વર્ષથી આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા, કોને કોને મદદગારી કરી હતી તે દિશામાં તપાસ ચલાવવામાં આવશે