શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી*
*યોગેશ કાનાબાર રાજુલા
શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી*
_*સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે 1100 દીવા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી*
સાવરકુંડલામાં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. શનિવાર, 11 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 9:30 કલાકે, શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવળા ગેઈટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદ થી, 1100 દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય ઉપસ્થિતિ તેમજ સાવરકુંડલા નગરવાસીઓ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હિરેનભાઈ વેકરીયા, રસિકભાઈ વેકરીયા અને VHRO પરિવાર સાવરકુંડલા આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા.
શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો. સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મ સમિતિન સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા.