સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ગીર ગાય દ્વારા એક સાથે બે વાછરડાને જન્મ આપવાની દુર્લભ ઘટના બની

યોગેશ કાનાબાર રાજુલા
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ગીર ગાય દ્વારા એક સાથે બે વાછરડાને જન્મ આપવાની દુર્લભ ઘટના બની
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે જ્યાં પૂજ્ય ભક્તિ બાપુ ની નિશ્રામાં 55 જેટલી મનોરોગી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ઉપરાંત મનોરોગી બહેનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે 25 જેટલી ગીર ગાયો ની ગૌશાળા આવેલી છે જેનું દૂધ છાશ અને ઘી મનોરોગી બહેનોને આપીને તેમના જીવનમાં આરોગ્યપ્રદ શક્તિઓ પ્રાપ્ત થાય તે હેતુસર આપવામાં આવે છે આજે વહેલી સવારે માનવ મંદિરની એક ગાય કે જેણે એક સાથે બે વાછરડાને જન્મ આપ્યો સામાન્ય રીતે મનુષ્યમાં ટ્વીન્સના જન્મ થતા જોયા છે પરંતુ પશુઓમાં એક સાથે બે બચ્ચાઓ આવે તેવી આ પહેલી ઘટના સામે આવી છે ભક્તિ બાપુએ આ તબક્કે જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી પોતાના વતન અને હાલ સાવરકુંડલા માં ગાયો સાથે નાતો રહ્યો છે અને એક સાથે બે વાછરડા નો જન્મ થાય તેવી તેમના જીવનની આ પહેલી ઘટના છે તેમ જ એક સાથે બે વાછરડાઓના જન્મ થયા હોવાની આ વિરલ ઘટના બનતા તેઓએ કુદરતનો આભાર માન્યો હતો હાલ બંને વાછરડાઓ માં એક વાછરડી અને એક વાછરડો છે ત્રણેયની તબિયત પણ સંપૂર્ણપણે તંદુરસ્ત છે




