Rajkot: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી -૨૦૨૫, રાજકોટ જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા મળશે

તા.૧૦/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કર્મચારી/કામદારોને વારાફરતી ત્રણ કલાકની રજા મળશે
Rajkot: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ યોજાશે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટસ ( રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ને રવિવાર – મતદાનના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેમ મદદનીશ શ્રમ આયુક્ત રાજકોટ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.


