MORBI:મોરબી-2 નટરાજ/નજ૨બાગથી જુના રફાળેશ્વર રોડની વચ્ચે ગટરનું ઢાંકણું રીપેર કરવા બાબતે કમિશનરને રજૂઆત

MORBI:મોરબી-2 નટરાજ/નજ૨બાગથી જુના રફાળેશ્વર રોડની વચ્ચે ગટરનું ઢાંકણું રીપેર કરવા બાબતે કમિશનરને રજૂઆત
મોરબી-2 નટરાજ/નજ૨બાગથી જુના રફાળેશ્વર રોડની વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી જતા ખુલ્લી ગટરમાં 6 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. ખુલ્લી પડેલી ગટરમાં અકસ્માતની ભીતિ હોય અને સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી નોન રજિસ્ટર સંગઠન એકતા ગૃપ સમિતિ મોરબી- 2ના સદસ્ય રામજીભાઈ જેઠાભાઈ ચાવડા દ્વારા મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત જણાવવામાં આવ્યું છે કે, મોરબી-2 નટરાજ ફાટકથી જુના રફાળેશ્વર રોડ નજરબાગથી આગળ રોડની વચ્ચોવચ ગટરનું ઢાંકણું તૂટી જતા રોડ વચ્ચે 6 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. જેના કારણે અકસ્માત સર્જાય શકે છે. તેમજ નટરાજથી જુના રફાળેશ્વર રોડ પર જતા આવતા ગામ વિસ્તારજનો અને સિરામિકમાં રાત્રે કામ પરથી રાહદારીઓ નીકળતા હોય ત્યારે જુના રફાળેશ્વર રોડ પર સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી રાત્રે અકસ્માતની સ્થિતિ બને એ પહેલાં ખુલ્લી ગટર તાત્કાલિક રીપેર કરવા અને ગટરનું ઢાંકણું નાખી અકસ્માત અટકાવવા બાબતે માગ કરવામાં આવી








