જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૬મી બૉર્ડ ઑફ મેનેજમેન્ટ બેઠક યોજાઈ


સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની બોર્ડ ઓફ મેનેજમેન્ટની ૩૬મી બેઠક અધ્યક્ષશ્રી એડવોકેટ ફિરદોસબેન મન્સુરીની અધ્યક્ષતામાં આયોજીત કરાઈ હતી. આ બેઠકમાં સંસ્થાન દ્વારા વર્ષ દરમ્યાન થયેલ કામગીરીનું હાજર સભ્યો દ્વારા મૂલ્યાંકન કરાયું હતુ તેમજ આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં યોજનાર તાલીમ કાર્યક્રમોની સમિક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી ડી.આર.ડીઓનાં લાઈવલી હૂડ મેનેજરશ્રી પ્રવિણભાઈ વસાવા, કે.જે.પોલીટેકનીક કોલેજના પ્રિન્સિપાલશ્રી એસ.એમ.મિસ્ત્રી, અંકલેશ્વર આઈ.ટી.આઈનાં પ્રિન્સિપાલશ્રી જે.એસ. મિસ્ત્રી વિગેરે ઉપસ્થિત રહી વિવિધ સુચનો રજુ કર્યા હતા અને આગામી નાણાંકીય વર્ષમાં જોબ ઓરીએનટેડ તથા સ્થાનિક જરૂરિયાત મુજબનાં નવા કોર્સિસ ઉમેરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં બીનસરકારી સભ્યો સર્વશ્રી ઈન્દિરાબેન રાજ, કે.કે.રોહિત, પ્રિન્સીપાલ રાફિયાબેન મિરઝા તથા ઉદ્યોગપતિશ્રી ઝુલ્ફીકાર સૈયદ અને લીડ બેન્ક મેનેજરશ્રી અનુપ જ્યોતિષ ખાસ ઉપસ્થિત રહી જે.એસ.એસની કામગીરીને નિહાળી હતી. સભ્ય સચિવશ્રી ઝ્યનુલ આબેદીન સૈયદ દ્વારા તમામ મુદાઓ ઉપર સભ્યશ્રીઓને અવગત કરાવ્યા હતા અને બેઠકનાં અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



