નવસારી,તા.૦૯: નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,પ્રથમ માળ, ડૉ. આંબેડકર ભવન, કલેકટર કચેરીની પાછળ, મહિલા ITI ની બાજુમાં, કાલિયાવાડી, નવસારી ખાતે સ્થાળાંતર કરવામાં આવી છે. આમ કચેરી ઉપરોકત દર્શાવેલ સરનામે કાર્યરત હોય તમામ પત્ર વ્યવહાર સદરહું સરનામે કરવા નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, નવસારીની અખબારીયાદીમાં જણાવાયું છે.