ARAVALLIGUJARATMODASA

મોડાસા : મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ પોહ્ચ્યું જ નથી.!! પાણી ભરાયા બાદ રોગચારો ફાટી નીકળશે તો જવાબદાર કોણ..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ પોહ્ચ્યું જ નથી.!! પાણી ભરાયા બાદ રોગચારો ફાટી નીકળશે તો જવાબદાર કોણ..?

મોતીપુરા, મોડાસા: છેલ્લા એક અઠવાડિયાથી થયેલા વરસાદ બાદ મોતીપુરા ગામમાં વરસાદી પાણી ઘરો અને રસ્તાઓમાં ઘૂસી ગયા છે. પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. ગામના લોકોમાં આ પરિસ્થિતિ સામે તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, એક અઠવાડિયો વીતી ગયો છતાં આરોગ્ય વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકીના કારણે ચેપી રોગો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે.”અમે તંત્રને જાણ કરી છે, છતાં કોઈ કામગીરી નહીં થાય તો રોગચાળો ફાટી નીકળશે – અને ત્યાર પછી જવાબદારી કોણ લેશે?” એવી ભીતિ લોકો વચ્ચે જોવા મળી રહી છે.સ્થાનિક તંત્રને આ પરિસ્થિતિ તરફ તાત્કાલિક ધ્યાન આપી સાવચેતીના પગલાં લેવામાં આવેં તેવી લોકોની માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!