
કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા ASI અરુણાબેન જાધવની હત્યાએ સનસનાટી મચાવી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે અરુણાબેનનું તેના પ્રેમી દિલીપ ડાંગચિયાએ ગળું દબાવીને હત્યા કરી હતી. પ્રેમ સંબંધમાં થયેલા વિવાદ બાદ દિલીપે ગુસ્સામાં અરુણાબેનની હત્યા કરી હતી. CRPFમાં કાર્યરત આરોપી દિલીપ ડાંગચિયાએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
કચ્છ. અંજાર પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) અરુણાબેન નટુભાઇ જાધવની હત્યાથી પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. આ હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે અરુણાબેનનું તેના જ પ્રેમી દિલીપ ડાંગચિયાએ ગળું દબાવીને હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરુણાબેન જાધવ અને દિલીપ ડાંગચિયા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગઈકાલે રાત્રે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ગુસ્સામાં દિલીપે અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આરોપી દિલીપ ડાંગચિયા મણિપુરમાં CRPFમાં કાર્યરત છે. હત્યા કર્યા પછી, આરોપીએ પોતે અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાનો ગુનો કબૂલ્યો.
ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે આરોપી દિલીપને વધુ પૂછપરછ અને તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.




