BHESANASURAT

સુરત જિલ્લાના ભેંસાણ ,મલગામાં, સેગવાછામાં અને સીથાણા આંગણવાડી કેન્દ્ ના બાળકો ને બેંક ઓફ બરોડા તરફથી સ્કુલ બેગ અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.

બેંક ઓફ બરોડા ના 118 મા સ્થાપના દિન નિમિત્તે, ભેંસાણ શાખા ના મેનેજર શ્રી કમલેશ બચ્છાવ તથા સ્ટાફ અને આંગણવાડી ની બહેનો ની ઉપસ્થિતિમાં શાખા અંતર્ગત આવતી ભેંસાણ ની 3 આંગણવાડી, મલગામા આંગણવાડી, સિથાણા આંગણવાડી અને સેગવાચ્છ્મા આંગણવાડી મા બાળકો ને સ્કૂલ બેગ કીટ તથા ફૂડ કીટ વિતરણ કરી ને ઉજવણી કરવામાં આવી.
વડોદરા ના મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા ધ્વારા આ બેંક ની સ્થાપના કરવામાં આવી હતી. 20 જુલાઈ 1908 ના દિવસે ગુજરાતના દેશી રાજ્ય વડોદરા ( બરોડા ) માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય 13 મુખ્ય વ્યાપારી બેંકો સાથે 19 જુલાઈ 1969 ના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતુ. ઉપરોક્ત તમામ માહિતી ચોર્યાસી તાલુકાના પી.એસ. ઈ ઇન્સ્ટ્રક્ટર કૌશિકાબેન પટેલ ઘ્વારા આપવામાં આવી હતી.આ તકે આંગણવાડી કાર્યકર બેનો વતી તેમને બેંક ઓફ બરોડા ના મેનેજર શ્રી કમલેશ બચ્છાવ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!