BANASKANTHAGUJARATPALANPUR

જગાણા નિલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો

20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા નિલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજાયો
પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ અંદાજે 568 વર્ષ જુનું અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રવિણભાઇ રાવલ, કનુભાઈ દવે, સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે પુજારી ચંદનગીરી ગોસ્વામી, મોતીગીરી ગોસ્વામી, ગણેશભાઈ ચૌધરી, રતીભાઇ લોહ,દિલીપભાઈ કરેણ,મોઘજીભાઇ ચૌધરી, કમલેશભાઈ ગોસ્વામી,ભવાનભાઇ કુણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા-અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો તે સવંત 1457માં ગામના મુખ્ય કુવા પાસે ગ્રામજનો દ્વારા આ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી મંદિર ખૂબ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્વાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે સર્વે ધર્મ પ્રેમી જનતાએ અભિષેકનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!