DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન વસાવાની કલાત્મક કૃતિને કૉપીરાઇટ માન્યતા મળી

દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન વસાવાની કલાત્મક કૃતિને કૉપીરાઇટ માન્યતા મળી

તાહિર મેમણ- ડેડીયાપાડા- 09/09/2025 – સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતીલાલ વસાવા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ “જર્ની ટુ દ મુન : ચંદ્રયાદ 3 ઇન વારલી આર્ટ”ને ભારત સરકારના કૉપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે.

 

આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન-3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. ખાસિયત એ છે કે, આ કલા કૃતિ કૅનવાસ બોર્ડ પર ગોબરથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે, જે તેને અનોખી અને સર્જનાત્મક બનાવે છે.

 

આ કૃતિ પરંપરાગત કલા અને આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનના સંયોજનનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા સ્નેહાબેન વસાવાને આ વિશેષ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!