MORBI:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે
MORBI:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે
મુખ્યમંત્રીશ્રી મચ્છુ-૨ ડેમ પાસે આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્રની બેઠક યોજાઈ
કાર્યક્રમ સંદર્ભે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત સંદર્ભે વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લા ખાતે પધારનાર છે. તેમના સંભવિત કાર્યક્રમ અનુસાર તેઓ મચ્છુ-૨ ડેમ નજીક આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વૃક્ષો વાવી તૈયાર કરવામાં આવેલ વનનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત તેઓ આ વનની મુલાકાત પણ લેનાર છે.
આ બેઠકમાં તથા સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ, સામાજિક વનીકરણ રાજકોટ રેન્જના નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને ઈલેક્ટ્રીકના કાર્યપાલક ઈજનેરશ્રીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.