GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના ગોંડલ-મોવૈયા-શ્રીનાથગઢ સહિતના રોડની પેચવર્કની કામગીરી કરાઈ
તા.૨૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાનાં મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.
જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોંડલ-મોવૈયા-શ્રીનાથગઢ રોડ, ગોંડલ-ત્રાકુડા, બેડી ખોરાણા સહિતના રોડના પેચ વર્કની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ઉપરાંત, આ રસ્તાઓ પર ગેરુ-ચૂનાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ રસ્તાઓની આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુરક્ષિત અને આકર્ષક બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના કામો પણ નજીકના ભવિષ્યમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ્સથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે.