GUJARATJUNAGADH

જૂનાગઢની ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન ગુણવત્તા અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે કલેકટરશ્રી, જૂનાગઢની તાકીદ

જૂનાગઢની ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન ગુણવત્તા અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે કલેકટરશ્રી, જૂનાગઢની તાકીદ

જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.સમગ્ર ઘટના અંગે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસીયા એ જણાવ્યું હતું કે , જુનાગઢ શહેરમાં આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ અને પ્રશ્નો કર્યા હતા. જે અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓએ હોસ્ટેલ પર જમવાની ગુણવત્તાની ચકાસણી કરી હતી કલેક્ટર શ્રી એ જણાવ્યું હતું કે જમવાની ગુણવત્તાના પ્રશ્ન છે તે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.સાથે જ હોસ્ટેલના બહેન જેમણે દરેક વસ્તુ તપાસવાની વોર્ડન તરીકેની કામગીરી કરવાનીહોય છે તેમને પણ નોટિસ આપવામાં આવશે. કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ માંથી જ કમિટી બનાવવામાં આવી છે. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીનીઓ ને પણ ભોજન ગુણવતા જળવાઈ તે માટે અભિપ્રાય માટે સામેલ કરાશે અને તેઓ રિપોર્ટ આપશે તે પ્રમાણે આ કમિટી મેનુ મુજબ સવાર ,બપોર સાંજ ભોજન મળે છે કે નહીં, ભોજનની ગુણવત્તા જળવાય છે કે નહીં, તેમજ સ્વચ્છતા બાબતે સમાજ કલ્યાણ વિભાગને રિપોર્ટ કરશે.આ રિપોર્ટ જો યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવશે. સાથે જ કલેકટર શ્રી એ પાણી,હોસ્ટેલમાં સફાઈ,ફર્નિચરની ખૂટતી બાબત અંગે પણ તાત્કાલિક વ્યવસ્થા કરવા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણને આ બાબતે જરૂરી સુચનાઓ આપી હતી.તેમજ સમાજ કલ્યાણ અધિકારીશ્રી પવારને આ બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!