DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

જામનગર શહેર ભાજપની “SIR” માટે સઘન જહેમત

 

*મતદાતા યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ માં ભાજપ અગ્રણીઓ દ્વારા સર અંતર્ગત વિશેષ ડ્રાઇવ ની જવાબદારી અન્વયે બુથ માં કામગીરી કરી*

મતદાતા વિશેષ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવેલ આ તબક્કે તેમના દ્વારા એક એક બુથ ની જવાબદારી સંભાળી બોર્ડની અંદર આવતા મતદાતાઓ ના ફોર્મ ભરવાની કામગીરીનું નિરીક્ષણ કરી કોઈ પણ મતદાતા તેના મત અધિકારથી વંચિત ન રહી જાય તેના માટે ઝીણવટી કામગીરી કરવામાં આવેલ.

મતદાતા યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ એ ભારતના ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને ચોક્કસ, અદ્યતન અને ભૂલ-મુક્ત બનાવવાનો છે.આ કાર્યક્રમ હેઠળ નીચેની મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે: નવા મતદારોની નોંધણી: જે નાગરિકો લાયકાતની તારીખે (સામાન્ય રીતે તે વર્ષની 1લી જાન્યુઆરી) 18 વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યા હોય અને અન્યથા પાત્ર હોય, તેઓને મતદાર તરીકે નોંધણી કરાવવાની તક પૂરી પાડવામાં આવે છે. નામો દૂર કરવા: મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અથવા અન્ય કારણોસર ગેરલાયક ઠરેલા મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવે છે. સુધારા અને ફેરફારો: મતદારના નામ, સરનામા, ઉંમર અથવા અન્ય વિગતોમાં થયેલી ભૂલોને સુધારવામાં આવે છે. સ્થળ ફેરફાર: એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા મતવિસ્તારમાં સ્થળાંતર કરનાર મતદારોના નામની નોંધણી નવા સ્થળે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સામાન્ય રીતે મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રકાશિત કરવામાં આવે છે, જેના પર નાગરિકો દાવાઓ અને વાંધાઓ (Claims and Objections) રજૂ કરી શકે છે. ત્યારબાદ, આ દાવાઓ અને વાંધાઓની ચકાસણી અને નિકાલ કરવામાં આવે છે અને છેલ્લે અંતિમ મતદાર યાદી (Final Electoral Roll) પ્રકાશિત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ કાર્યક્રમ ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે મતદાર યાદીને નિયમિતપણે અપડેટ કરવાની પ્રક્રિયા છે. ભારતનો દરેક નાગરિક તેનો મતાધિકાર મેળવે તેવા ઉદેશ થી બુથ સ્તરે ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, કારોબારી સભ્યો, વિવિધ મોરચાના પ્રદેશના હોદેદારો, સેલ – વિભાગના સભ્યશ્રીઓ, જિલ્લા / મહાનગરના વર્તમાન તથા પૂર્વ હોદેદારો શ્રીઓ સાંસદ શ્રીઓ (રાજ્યસભા લોકસભા) પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રીઓ, પ્રદેશ તેમજ મોરચાના પૂર્વ પદાધિકારીશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના બોર્ડ નીગમના ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યયો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, વોર્ડ મંડળ વર્તમાન તથા પૂર્વ પદાધિકારીઓ વિવિધ બુથમાં જઈ નિશ્ચિત કામગીરી કરશે. તા. ૨૩.નવેમ્બર.૨૦૨૫ રવિવારે આ સર વિશેષ ડરાઇવ અંતર્ગત જણાવેલ શ્રેણી મુજબના કાર્યકર્તાઓ ને જવાબદારી સોંપવામાં આવેલ હતી.
મતદાર યાદી વિશે સુધારણા કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓને એસઆઈઆર વિશે ડ્રાઇવ અવન્ય બુથ ની જવાબદારી સોંપાઈ છે મતદાતા યાદી વિશે સુધારણા કાર્યક્રમ એ ભારતના ચૂંટણીપંચ દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે તેના મુખ્ય હેતુ મતદાર યાદીને ચોક્કસ અધ્યતન અને ભુલમુક્ત બનાવવાનો છે ત્યારે હાલ ચુંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં મતદારયાદી વિશેષ સુધારણા- SIR ની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ચુંટણી પંચ દ્વારા તા.૨૩ નવેમ્બર રવિવારના રોજ SIR માટે બુથ સ્તરે રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવ યોજાઇ હતી જેના ઉપલક્ષ્યમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચુંટાયેલ પાંખ તેમજ કાર્યકર્તાઓ સોંપાયેલ બૂથ પર હાજર રહી જનસંપર્ક કરી આ ડ્રાઈવના દિવસે લોકતંત્રને મજબૂત કરવામાં અતિ મહત્વ SIR ના અનુસંધાનમાં મહત્તમ પરિણામલક્ષી કાર્ય થાય તે માટે કાર્યરત રહ્યા હતા
જામનગર મહાનગર નાં વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર નાં અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સહિત ઉપર જણાવ્યા મુજબની શ્રેણી ના અગ્રણીઓ તથા મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ તથા બુથ સ્તર સુધીના કાર્યકર્તા સુધીનું સમગ્ર સંગઠન આ અભિયાનમાં જોડાયેલ હતા અને ડોર ટુ ડોર જઈ ફોર્મ ભરવા માટે જનતા ને અપીલ કરેલ હતી
SIR નાં ફોર્મ ભરવા તથા મતદારયાદીમાં થી નામ ગોતી સાથે સાથે મતદારોને યોગ્ય માર્ગદર્શન આપી જામનગર મહાનગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદાધિકારીઓ અને કાર્યકરો એ જહેમત ઉઠાવી સરકાર દ્વારા નિમાયેલા બીએલઓ ને મદદરૂપ બની જામનગર મહાનગર માં SIRનુ કામ બાકી નાં રહે તેવી તકેદારી રાખી આ મહત્વપૂર્ણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી તેમ મિડિયા વિભાગ નાં ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.

Back to top button
error: Content is protected !!