ઈન્ડિગો સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સ ખૂબ ઊંચું ભાડું વસૂલતી હોવાની ફરિયાદો પર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી નક્કી કર્યું ફ્લાઇટનું ભાડું

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો સંકટને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત રૂટ પર યોગ્ય અને વાજબી ભાડા નક્કી કરવા માટે તેની નિયમનકારી સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ માટે મહત્તમ ભાડા મર્યાદા નક્કી કરી છે. સરકારે એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ વ્યક્તિગત રૂટ માટે નક્કી ભાડા કરતાં મુસાફરો પાસેથી વધુ ભાડું નહીં વસૂલે. જણાવી દઈએ કે, ઈન્ડિગો સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સ ખૂબ ઊંચું ભાડું વસૂલતી હોવાની ફરિયાદો પર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારે 500 કિમી સુધીની મુસાફરી માટે મહત્તમ ભાડું 7,500 રૂપિયા નક્કી કર્યું છે. વધુમાં, 500 થી 1,000 કિમી વચ્ચેની મુસાફરી માટે મહત્તમ ભાડું 12,000 રૂપિયા છે, અને 1,000 થી 1,500 કિમી વચ્ચેની મુસાફરી માટે 15,000 રૂપિયા છે. એ નોંધવું જોઈએ કે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા પાંચ દિવસથી ગંભીર ઓપરેશનલ સંકટનો સામનો કરી રહી છે. આ સંકટને કારણે ઇન્ડિગોએ છેલ્લા પાંચ દિવસમાં હજારો ફ્લાઇટ્સ રદ કરી છે. વધુમાં અસંખ્ય ઇન્ડિગો ફ્લાઇટ્સ મોડી પડી છે.
અંતર અને મહત્તમ ભાડું
• 500 કિ.મીની યાત્રા માટે વધુમાં વધુ 7500 રૂપિયા વસૂલી શકાશે.
• 500થી 1000 કિ.મી.ની યાત્રા માટે વધુમાં વધુ 12,000 રૂપિયા ભાડું વસૂલી શકાશે.
• 1000થી 1500 કિ.મી. લાંબી યાત્રા માટે વધુમાં વધુ 15,000 રૂપિયા વસૂલી શકાશે.
• 1500 કિ.મી.થી વધુ અંતર માટે 18000 રૂપિયાથી વધુ ભાડું વસૂલી શકાશે નહીં.
ઇન્ડિગો કટોકટીને કારણે અન્ય એરલાઇન્સ અસરગ્રસ્ત રૂટ પર મુસાફરો પાસેથી અનેક ગણું ભાડું વસૂલતી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ આજે બપોરે એરલાઇન્સની મનમાની રોકવા માટે પોતાના રેગુલેટરી અધિકારોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક અસરથી તમામ એરલાઇન્સ પર ફેયર કેપ (ભાડા મર્યાદા) લાગૂ કરી દેવાઈ. એરલાઇન્સને હવે કોઈપણ રૂટ પર પોતાની મરજી મુજબ ભાડા વધારવા પર પ્રતિબંધ રહેશે.
મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે હવાઈ ભાડાનું નિરીક્ષણ કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે, જે રિઅલ-ટાઇમ ડેટાનું નિરીક્ષણ કરશે અને એરલાઇન્સ અને ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સંકલન કરશે. તે જ સમયે, નિયમોનું ઉલ્લંઘન કરતી એરલાઇન્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. MoCA જણાવે છે કે મુસાફરોના કોઈપણ આર્થિક શોષણને રોકવા માટે આ ભાડા મર્યાદા જાહેર હિતમાં તાત્કાલિક અને જરૂરી પગલું છે.



