કાલોલના મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલ ની ગુજરાતી ફિલ્મ સ્ટાર ગ્રીવા કંસારા અને ધર્મેશ વ્યાસ એ મુલાકાત લીધી.

તારીખ ૧૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ જય નારાયણ હોસ્પિટલની મંગુબેન તરીકે જાણીતું ચેહરો એવાં ગુજરાતી ફિલ્મ સ્ટાર ગ્રીવા કંસારા સાથે ૪૦ વર્ષ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્વનું સ્થાન ધરાવતા ધર્મેશ વ્યાસ એ મુલાકાત લઈ કિડનીની પથરી દૂર કરવાની નોન સર્જિકલ મેડિસિન બેઝ ટ્રીટમેન્ટ DSP સ્ટોનેલ કીટ વિશે હોસ્પિટલના ૧૧ વર્ષ ના અનુભવી સિનિયર કન્સલ્ટન્ટ આપના વિસ્તાર માં કિડની માં બનતી પથરી ના અનુભવી નિષ્ણાત ડૉ.સુનિલ પરમાર સાથે ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં હોસ્પિટલના ડૉ.સુનિલ પરમાર એ ગ્રીવા કંસારા અને ધર્મેશ વ્યાસ ને કિડનીની પથરીના કારણો, લક્ષણો અને સારવાર વિશે વિગતવાર માહિતી આપી હતી જેમાં DSP સ્ટોનેલ કીટ એક પથરીની કોમ્બો પેક જે નાની અને મોટી પથરીઓને સરળતાથી અને પીડારૂપ દૂર કરવામાં મદદ કરી શકે છે અને આ દવા થી ઓછા સમયમાં તથા ઓછા દુખાવા સાથે સારવાર પૂરી પાડીશકે છે.જે દર્દીઓ માટે ફાયદાકારક થઈ શકે છે છે.ગ્રીવા કંસારાએ આ દવા વિશે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોએ કિડનીની પથરીના લક્ષણોને અવગણવા ન જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ. ધર્મેશ વ્યાસ પણ આ પહેલને સમર્થન આપ્યું અને લોકોને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો આ ચર્ચાનો ઉદ્દેશ્ય લોકોમાં કિડનીની પથરી વિશે જાગૃતિ વધારવાનો અને આ અદ્યતન સારવાર પદ્ધતિનો લેખોને પ્રોત્સાહન આપવાનો હતો.







