
તા.૩૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખને ગુજરાત પ્રદેશ ભાજપમાં મંત્રી તરીકે નિયુક્ત થતા દાહોદ રામાનંદ પાકૅ પરિવાર દ્વારા સન્માન સહ શુભેચ્છાઓ આપી
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના નવા પદાધિકારીઓ ની નિયુક્તિ કરવામાં આવી છે જેમા દાહોદ જીલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ
શંકરભાઈ અમલીયાર ની ગુજરાત પ્રદેશ ભાજપ માં મંત્રી તરીકે નિયુક્ત થતા સમગ્ર જિલ્લામાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે અને ઠેરઠેર સ્વાગત સન્માન સહ શુભેચ્છાઓ પાઠવવા મા આવી રહી છે રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રી ના સાનિધ્ય માં રામાનંદ પાકૅ દાહોદ ખાતે નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શંકરભાઈ અમલીયાર સાહેબ ને શુભેચ્છાઓ પાઠવવા આવી છે દાહોદ રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીએ શંકરભાઈ અમલીયાર ને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતીરામાનંદ પાકૅ પરિવાર ના સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી




