MORBI:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે અડદીયા, બદામ પાક, ગુંદર પાક તથા ચીકી વિતરણ મકરસંક્રાંતિ સુધી અવિરત ચાલુ રહેશે.

MORBI:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે અડદીયા, બદામ પાક, ગુંદર પાક તથા ચીકી વિતરણ મકરસંક્રાંતિ સુધી અવિરત ચાલુ રહેશે.
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા, બદામ પાક। ગુંદર પાક, વિવિધ પ્રકાર ની ચીકી નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે ત્યારે આ વિતરણ મકર સંક્રાંતિ સુધી અવિરત ચાલુ રહેશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. દરરોજ તાજા અડદીયા, બદામ પાક, ગુંદર પાક તેમજ વિવિધ જાત ની ચીકી કન્ટેનર તથા લુઝ પેકીંગ માં મેળવવા શ્રી જલારામ ધામ, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો. તે ઉપરાંત વ્યવસાયિક પ્રતિષ્ઠાન માટે મોટા જથ્થા માં ઓર્ડર આપવા માટે ગીરીશભાઈ ઘેલાણી મો ૯૮૨૫૦૮૨૪૬૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.







