
વિજાપુર તાલુકાની આંગણવાડીઓમાં રિનોવેશનથી નવી ચમક
આંગણવાડી દીઠ રૂ. 8,500ની ગ્રાન્ટથી બાળકોને અનુકૂળ માહોલ સર્જાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ આંગણવાડીઓને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને બાળકોને અનુકૂળ બનાવવા માટે આંગણવાડી દીઠ રૂ. 8,500ની વિશેષ રિનોવેશન ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિજાપુર તાલુકાના ઘટક-૧ હેઠળ આવેલી આંગણવાડી ઘટક-૨ને પણ આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી.
નવેસરથી થયેલા સુધારાઓના કારણે નાનાં બાળકો હવે વધુ આનંદદાયક અને આરામદાયક માહોલમાં અભ્યાસ કરી શકે છે, જે તેમની શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસ માટે લાભદાયી સાબિત થશે. સરકારની આ પહેલને લઈ સ્થાનિક વાલીઓ, સમાજજનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સરાહના વ્યક્ત કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.




