MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબીના લીલાપર રોડ ઉપર માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબીના લીલાપર રોડ પર રહેતી એક ૨૫ વર્ષીય યુવતીએ માનસિક બીમારીના કારણે કંટાળી જઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લીલાપર રોડ પર વિલ્સન પેપરમિલની બાજુમાં, રોમ સીરામીક સામે ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા આરતીબેન વાલજીભાઈ પરમાર (ઉં.વ. ૨૫) છેલ્લા એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. બીમારીને કારણે તેઓ સતત તણાવમાં રહેતા હતા અને તેમની તબીબી સારવાર પણ ચાલી રહી હતી.
ગઈકાલ તારીખ ૧૩/૦૨ના રોજ, જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે આરતીબેને પોતાના રહેણાંક મકાનના રૂમમાં છતના પતરા નીચે આવેલી લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના પિતા વાલજીભાઈ ખેંગારભાઈ પરમારનું નિવેદન નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનું કારણ માનસિક બીમારી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે અકસ્માતે મોત (A.Death) રજીસ્ટર કરી વધુ તપાસ શરૂ કરી છે.










