GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પંચમહાલના અંતરિયાળ વિસ્તારના ગામોમાં વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નાબુદી અભિયાન અંતર્ગત વિચરણ.

કાલોલ તા ૨૩/૦૩/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશિર્વાદ સહ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી સહિત સંતમંડળ દ્વારા પંચમહાલ અંતરિયાળ વિસ્તારના ગામોમાં વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નાબુદી અભિયાન અંતર્ગત વિચરણ કાર્ય કર્યું હતું.વ્યસનથી માનવીની જિંદગી બરબાદ થઈ જાય છે માટે તેનાથી દૂર રહેવા હાકલ કરી હતી.વધુમાં, શ્રી સ્વામિનારાયણ મંદિર, રાણીપુરાનો 15 મા વાર્ષિક પાટોત્સવ તેમજ હરકુંડીના 26 મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પણ સંસ્કાર સિંચન શિબિરનું પણ આયોજન કરાયું હતું.







