MORBI:મોરબીના ન્યુ ચંદ્રનગરમાં ભક્તિનો માહોલ: શ્રીમદ્ ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાયો શિવ વિવાહ પ્રસંગ

MORBI:મોરબીના ન્યુ ચંદ્રનગરમાં ભક્તિનો માહોલ: શ્રીમદ્ ભાગવત કથામાં ધામધૂમથી ઉજવાયો શિવ વિવાહ પ્રસંગ
મોરબી: શહેરના ન્યુ ચંદ્રનગર વિસ્તારમાં હાલ ભક્તિની સરવાણી વહી રહી છે. ન્યુ ચંદ્રનગર સોસાયટીના બળિયા હનુમાન મહિલા મંડળ અને સોસાયટીના રહીશો દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભક્તો ઉમટી રહ્યા છે. કથાના ચોથા દિવસે શિવ વિવાહનો પ્રસંગ અત્યંત ધામધૂમથી અને વિશેષ આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો.
શિવજીની અનોખી જાન અને ભક્તોમાં ઉત્સાહ
વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી પીયુષભાઇ પંડ્યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવ વિવાહના પ્રસંગ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા શિવજીની ભવ્ય જાન જોડવામાં આવી હતી. આ જાનમાં શિવગણો અને ભૂત-પ્રેતના વેશમાં સજ્જ જાનૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કથાકારે આ પ્રસંગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, જ્યારે શિવજીની આવી અનોખી જાન આવી ત્યારે માંડવીયાઓ (કન્યા પક્ષ) ડરના માર્યા બેભાન થઈ ગયા હતા અને ‘હવે આ જાનને ઉતારો કોણ આપશે?’ તેવી માર્મિક રજૂઆત સાથે વાતાવરણ જીવંત બન્યું હતું.
ન્યુ ચંદ્રનગરની આ કથામાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. ભક્તોની ભારે ભીડને કારણે કથામાં વિશેષ જમાવટ જોવા મળી રહી છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે:બળિયા હનુમાન ગોપી મંડળની બહેનો ભારે જહેમત ઉઠાવી રહી છે.સ્થાનિક સેવાભાવી યુવાનો અને વડીલો વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે સેવા આપી રહ્યા છે.આગામી દિવસોમાં કથામાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના અન્ય પ્રસંગો પણ એટલી જ ભવ્યતાથી ઉજવવામાં આવશે, જેનો લાભ લેવા સોસાયટી દ્વારા અનુરોધ કરાયો છે.











