
આજે શેરગઢ અને અજાબગામના સિમાડે આવેલ પુજય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમે થી અજાબને જોડતા રોડને નોન પ્લાન યોજના હેઠળ ડામર અને સીસીથી પાકો બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ. નોન-પ્લાન યોજના હેઠળ આ માર્ગને ડામર અને સીસી દ્વારા પાકો બનાવવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. કુલ અંદાજે ૨ કિલોમીટર લાંબા આ માર્ગનું નિર્માણ રૂપિયા ૧ કરોડ ૩૨ લાખના ખર્ચે કરવામાં આવશે. આ માર્ગ તૈયાર થતાં આશ્રમમાં દર્શનાર્થે આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને સહેલાઈ થશે. આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટીઓ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, ગ્રામજનો, સરકારી અધિકારીઓ, સરપંચ મગનભાઈ અધેરા તથા પંચાયત ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





