NATIONAL

કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને નિયંત્રિત પ્રમાણમાં LPG ગેસનો પુરવઠો કરવાની મંજૂરી આપવામાં આવી

ભારતની ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક રાહતભર્યો નિર્ણય સામે આવ્યો છે, જેમાં LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ છૂટ આપવામાં આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક ઉદ્યોગોને ફરી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે વિવિધ ઉદ્યોગોને નિયંત્રિત પ્રમાણમાં LPG ગેસનો પુરવઠો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ, હેવી મેટલ અને કૃષિ આધારિત ઉદ્યોગોને જરૂરીયાત મુજબ સપ્લાય આપવા સૂચના આપવામાં આવી છે.

આ પગલાંનો મુખ્ય હેતુ ઉત્પાદન પ્રક્રિયામાં આવતી અડચણોને દૂર કરવાનો છે. આ નવી વ્યવસ્થા મુજબ ઉદ્યોગોને દૈનિક આશરે 0.2 TMT LPG ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવ દ્વારા તમામ રાજ્યોને પત્ર લખીને આ બાબતની સત્તાવાર માહિતી આપવામાં આવી છે, જેથી રાજ્ય સ્તરે પણ ઝડપથી અમલ થઈ શકે. આ નિર્ણયનો સૌથી વધુ લાભ ગુજરાતના ઉદ્યોગોને થવાની શક્યતા છે. ખાસ કરીને સિરામિક, ડેરી અને અન્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે.

LPG સપ્લાયમાં છૂટ મળતા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉદ્યોગોની કાર્યક્ષમતા પણ વધશે. આ પહેલથી ઉદ્યોગોને સ્થિરતા મળશે અને બજારમાં સપ્લાય ચેઇન સુધરશે. સાથે જ, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. કુલ મળીને, આ નિર્ણય ઔદ્યોગિક વિકાસ માટે એક સકારાત્મક પગલું ગણાય છે.

Back to top button
error: Content is protected !!