AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

પ્રેમ,સદભાવ,નિષ્કામ ભાવનું પ્રતિક

કરુણા, પ્રેમ અને સહ-અસ્તિત્વનો સજીવ ઉત્સવ – માનવ એકતા દિવસ

*જામનગર સહિત દેશભરમાં શ્રદ્ધા અને સમર્પણ ભાવ થી કરાયું રકતદાન*

જામનગર, ૨૬ એપ્રિલ, ૨૦૨૬

– જ્યારે હૃદયમાં કરુણા, પ્રેમ અને એકત્વની દિવ્ય ચેતના જાગૃત થાય છે, ત્યારે માનવ પોતાના સીમિત સ્વાર્થોને ઉપર ઉઠીને સમગ્ર સૃષ્ટિના કલ્યાણનું શક્તિશાળી માધ્યમ બની જાય છે. પરોપકાર, કરુણા અને પરમાર્થ જેવા અલૌકિક મૂલ્યોથી પ્રકાશિત આ પવિત્ર અવસર તે દિવ્ય અનુભૂતિનું પ્રતીક બન્યો, જ્યાં “માનવને માનવ જ પ્યારો, એક-બીજાનો બને સહારો”નો સંદેશ માત્ર શબ્દોમાં સીમિત ન રહીને હૃદયોમાં સજીવ બન્યો.

‘માનવ એકતા દિવસ’ ૨૪ એપ્રિલે, બાબા ગુરબચન સિંહ જીની દિવ્ય સ્મૃતિમાં, સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા જીના સાન્નિધ્યમાં દિલ્હીના ગ્રાઉન્ડ નં. ૮માં આયોજિત થયો હતો. સાથે જ સમગ્ર દેશના હજારો સત્સંગ કેન્દ્રો પર શ્રદ્ધા અને સમર્પણભાવથી સફળતાપૂર્વક સંપન્ન થયો.

જામનગર માં માનવ એકતા દિવસના ઉપલક્ષ્યમાં વિશેષ સત્સંગ સમારોહ આયોજન કરવામાં આવ્યા. આ માત્ર એક આયોજન નહીં, પરંતુ પ્રેમ, સદ્ભાવ અને નિષ્કામ સેવાનું સજીવ સ્વરૂપ બનીને ઉભર્યું.

*દેશ વ્યાપી રક્તદાન અભિયાન*

સંત નિરંકારી મિશનની જામનગર શાખા દ્વારા પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માં આયોજિત ભવ્ય રક્તદાન શિબિરમાં લગભગ ૭૮ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું. રક્ત સંકલન જી.જી.હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.
સંત નિરંકારી મંડળ જામનગર શાખા ના પ્રચારિકા શ્રીમતી જ્યોતિ બેન જી એ જણાવ્યું કે સમગ્ર ભારતવર્ષમાં લગભગ ૨૦૦ સ્થળોએ રક્તદાન શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું; જેના દ્વારા લગભગ ૪૦,૦૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે નિષ્કામ સેવા, પરોપકાર અને માનવતા પ્રત્યે સમર્પણની સજીવ અભિવ્યક્તિ બનીને ઉભરી.

યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જીની સ્મૃતિમાં આ દિવસ વર્ષભર ચાલનારી સેવા-સરિતાનો શુભારંભ છે, જેના અંતર્ગત દેશભરમાં લગભગ ૭૦૫ સ્થળોએ રક્તદાન શિબિરો આયોજિત કરવામાં આવશે; જે કરુણા અને એકત્વની ભાવનાને સતત મજબૂત કરશે.

ઉલ્લેખનીય છે કે રક્તદાનની આ પવિત્ર પરંપરા છેલ્લા ચાર દાયકાથી અવિરત ચાલુ છે. અત્યાર સુધીમાં ૯,૧૭૪ રક્તદાન શિબિરો દ્વારા લગભગ ૧૫,૦૦,૨૩૦ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, જે માનવ સેવા પ્રત્યે નિરંકારી મિશનની અટલ પ્રતિબદ્ધતાનું સજીવ પ્રમાણ છે.
સમગ્ર આયોજન દરમિયાન સ્વચ્છતા, સતર્કતા અને સેવા ભાવનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેથી આ પહેલ માત્ર જીવનદાયિની સેવા સુધી મર્યાદિત ન રહીને માનવતા, કરુણા અને ઉત્તરદાયિત્વ ના ઉચ્ચતમ આદર્શનું પ્રતીક બનીને ઉભરી.

યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જીએ સત્ય, સરળતા અને સદ્ભાવનાનો માર્ગ બતાવીને યુવાનોને નશામુક્ત જીવન અપનાવવા અને તેમની ઊર્જાને સમાજસેવામાં લગાવવાની પ્રેરણા આપી. બાબા હરદેવ સિંહ જીએ “રક્ત નાડીઓમાં વહે, નાલીઓમાં નહીં”નો સંદેશ આપીને સેવાને જીવનનો અનિવાર્ય અંગ બનાવ્યો, જેને સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ સતત આગળ વધારી રહ્યા છે.
—————————–

માહિતી સ્રોત

સંત નિરંકારી મંડળ – જામનગરના અરવિંદ માધાણી

[  આ ન્યુઝ વાત્સલ્યમ વેબસાઇટ ઉપર જામનગર અમદાવાદ વગેરે સીટી કેટેગરીઝ ઉપર પણ ઉપલબ્ધ છે]

_____________

-રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

પત્રકાર

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!