ભારત સરકારે નફો કરતી આયુર્વેદિક દવા બનાવતી સરકારી કંપની IMPCLને ₹121 કરોડમાં વેચી નાખી !!!

નવી દિલ્હી:
કેન્દ્ર સરકારે આયુષ મંત્રાલય હેઠળની એકમાત્ર નફો કરતી જાહેર ક્ષેત્રની કંપની ‘ઇન્ડિયન મેડિસિન્સ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ’ (IMPCL) ના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સ્થિત પ્રાઈવેટ કંપની મેસર્સ સ્કાયમેપ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ એ ₹121 કરોડની સૌથી ઊંચી બોલી લગાવીને આ કંપનીનો 100% માલિકી હક અને મેનેજમેન્ટ કંટ્રોલ મેળવ્યો છે. આ સોદા બાદ ઉત્તરાખંડના અલ્મોડા (મોહાન) ખાતે આવેલી આ આયુર્વેદિક કંપનીની કામગીરી, બજાર અને કર્મચારીઓ પર મોટો ફેરફાર જોવા મળશે.
IMPCL કંપનીનો ઇતિહાસ અને કામગીરી
-સ્થાપના: આ કંપનીની સ્થાપના 12 જુલાઈ, 1978 ના રોજ ઉત્તરાખંડના અલ્મોડા (મોહાન) ખાતે કરવામાં આવી હતી.
-મુખ્ય હેતુ: દેશમાં શુદ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક તેમજ યુનાની દવાઓનું ઉત્પાદન કરી સરકારી હોસ્પિટલો અને કેન્દ્રો સુધી પહોંચાડવાનો હતો.
-ઉત્પાદન ક્ષમતા: આ કંપની આશરે 656 ક્લાસિકલ આયુર્વેદિક અને 332 જેટલી યુનાની દવાઓનું ઉત્પાદન કરે છે જે દેશભરના ‘જન ઔષધિ કેન્દ્રો’ અને નેશનલ આયુષ મિશન હેઠળ સપ્લાય કરવામાં આવતી હતી.
-
- નોકરીની સુરક્ષા અને વિવાદો: ખાનગીકરણની જાહેરાત સાથે જ કર્મચારીઓના યુનિયનો અને નિષ્ણાતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાન્સફર પ્રક્રિયા હેઠળ કર્મચારીઓની નોકરીની સુરક્ષા, પ્રમોશનના નિયમો અને અગાઉ મળતા સરકારી ભથ્થાઓ ચાલુ રાખવા માટે ચોક્કસ અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરવાની માંગ ઉઠી છે.
- મેનેજમેન્ટમાં ફેરફાર: ખાનગી માલિક આવવાથી કંપનીની કામગીરી આધુનિક અને કોર્પોરેટ સ્ટાઇલની બનશે, જેથી કર્મચારીઓએ નવી ટેકનોલોજી અને કાર્યશૈલી અપનાવવી પડશે.
-
- વર્તમાન વ્યવસ્થા: આ કંપની નેશનલ આયુષ મિશન (NAM), સરકારી CGHS હોસ્પિટલો, ESIC અને દેશભરના 6,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રો ને સીધી શુદ્ધ આયુર્વેદિક અને યુનાની દવાઓ સપ્લાય કરતી હતી.
- ભાવ નિયંત્રણમાં ફેરફાર: અત્યાર સુધી આ દવાઓના ભાવો ભારત સરકાર (નાણા મંત્રાલય) દ્વારા નક્કી કરવામાં આવતા હતા, જેથી ગરીબ દર્દીઓને સસ્તી દવાઓ મળતી. ખાનગીકરણ બાદ સરકારની ‘લિબરલાઇઝ્ડ પ્રાઇસિંગ પોલિસી’ (મુક્ત ભાવ નીતિ) લાગુ થશે. જો કે સરકારી કોન્ટ્રાક્ટ્સ ચાલુ રહેશે, પરંતુ કંપની હવે બજારના આધારે પોતાની કિંમતો નક્કી કરવા માટે મુક્ત બનશે.
-
- વધુ કાર્યક્ષમતા અને વેચાણ: સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીના હાથમાં મેનેજમેન્ટ જવાથી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મજબૂત બનશે અને પેમેન્ટ કલેક્શનની પ્રક્રિયા ઝડપી થશે. આનાથી કંપની માર્કેટના અન્ય ખાનગી પ્લેયર્સ (જેમ કે પતંજલિ, ડાબર વગેરે) સામે વધુ સક્ષમતાથી સ્પર્ધા કરી શકશે અને તેનું વેચાણ વધશે.
- ઉત્પાદન ક્ષમતામાં વધારો: હાલમાં IMPCL 656 આયુર્વેદિક અને 332 યુનાની દવાઓ બનાવે છે. સ્કાયમેપ ફાર્માસ્યુટિકલ્સ આ પ્લેન્ટમાં નવું રોકાણ કરીને નવીનતમ ટેકનોલોજી લાવશે, જેનાથી ઉત્પાદનની ગુણવત્તા અને સ્કેલ બંને વૈશ્વિક સ્તરના બની શકે છે.
-
- કંપનીની સંપત્તિ: નાણાકીય વર્ષ 2023-24 મુજબ આ કંપનીની કુલ નેટવર્થ આશરે ₹134.56 કરોડ અને કુલ એસેટ્સ (સંપત્તિ) ₹260.36 કરોડ આંકવામાં આવી હતી.
- છેલ્લા 3 વર્ષનો ચોખ્ખો નફો (Profit After Tax):
-
- 2022-23: ₹20.81 કરોડ
- 2023-24: ₹12.80 કરોડ
- 2024-25: ₹17.65 કરોડ
-



