ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન
"Connecting stakeholders, strengthening democracy" થીમ હેઠળ દેશભરમાંથી ૩૮૦ થી વધુ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા

”Connecting stakeholders, strengthening democracy” થીમ હેઠળ દેશભરમાંથી ૩૮૦ થી વધુ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા
૯૫ કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
નવી દિલ્હી : ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ૧૭ જુલાઈ ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ ૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. “Connecting stakeholders, strengthening democracy: Role of media in elections” (હિતધારકોને જોડવા, લોકશાહીને મજબૂત કરવી: ચૂંટણીમાં મીડિયાની ભૂમિકા) ના મુખ્ય સૂત્ર હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૮૦ થી વધુ મીડિયા પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો.
આ પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે ભારતીય બંધારણ, ચૂંટણી કાયદાઓ અને પંચના વખતોવખતના દિશાનિર્દેશો અનુસાર જ યોજાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું તેમાં સંકળાયેલા તમામ હિતધારકો દ્વારા સમવર્તી ઓડિટ (Concurrent Audit) કરવામાં આવે છે.
પરિષદના મુખ્ય અંશો અને મહત્વની વિગતો:
મતદાર યાદીની સચોટતા:
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે દેશના આશરે ૯૫ કરોડ નાગરિકોના નામ ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત અને ગતિશીવ દસ્તાવેજ છે. કાયદાકીય સુરક્ષા માળખા હેઠળ આ યાદી તૈયાર કરવા માટે ૧૨ લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને ૧૫ લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) “સમવર્તી ઓડિટર્સ” તરીકે અવિરત કામ કરી રહ્યા છે.
મતદારોનો અભૂતપૂર્વ વિશ્વાસ:
પારદર્શિતા અને તકનીકી નિદર્શન:
મીડિયા પરિષદની શરૂઆત બંધારણીય જોગવાઈઓ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ અને ૧૯૫૧ હેઠળની પારદર્શિતા તેમજ ‘ECINET’ પ્લેટફોર્મ અને ચૂંટણીમાં ટેકનોલોજીની ભૂમિકાની વિસ્તૃત સમીક્ષા સાથે થઈ હતી.
પ્રક્રિયાનું જીવંત નિદર્શન અને પ્રશ્નોત્તરી:
આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓને વિવિધ જૂથોમાં વહેંચીને મતદાર યાદી તૈયાર કરવાની પદ્ધતિ, મતદાન પ્રક્રિયા અને મતગણતરી પ્રક્રિયાનું જીવંત નિદર્શન (Demonstration) આપવામાં આવ્યું હતું. 

પરિષદના અંતે પત્રકારો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એક વિશેષ પ્રશ્નોત્તરી (Q&A) સત્ર યોજીને મીડિયાના પ્રશ્નોના હકારાત્મક જવાબો આપ્યા હતા.







