ચાંદીપુરા વાયરસના ગુજરાતમાં 35 કેસ પોઝિટીવ આવતાં ખળભળાટ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વાયરસના કૂલ 184 કેસમાં 35 કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. 11 કેસના હજુ પણ પરિણામ આવવાના બાકી છે તો 7 દર્દીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 6 દર્દીની તબિયત સુધરતાં તેમને રજા આપી દેવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12 બાળકોના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જિલ્લાઓમાં સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને આરોગ્ય ચકાસણીની કામગીરી વધુ તેજ કરવામાં આવી રહી છે. હાલમાં ઘણા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, સારવાર બાદ સ્વસ્થ થયેલા 23 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા, તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.




