DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક મહારેલી યોજાઈ

તા.૦૯.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક મહારેલી યોજાઈ

નવજીવન કોલેજથી પ્રસ્થાન પામેલી રેલી દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી બિરસા મુંડા ભવન ખાતે સંપન્ન થઈ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ પારંપરિક પહેરવેશ સાથે ઉત્સાહભેર જોડાયા રેલીમાં ડી.જે. સાઉન્ડનો ઉપયોગ ટાળીને પ્રથમવાર માત્ર ઢોલ અને શરણાઈ જેવા પારંપરિક વાજીત્રોનો વિશેષ ઉપયોગ કરાયો આદિવાસી રીત-રિવાજો, પીઠોરા દેવની ઝાંખીઓ અને સંવિધાનિક અધિકારો દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ થયા પર્યાવરણ જાળવણી અને પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક નિયમનની જાગૃતિ ફેલાવતા ટેબ્લો પણ રેલીમાં વિશેષ આકર્ષણ બન્યા શહેરમાં ઢોલ-નગારાના તાલે અને પરંપરાગત નાચ-ગાન સાથે આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો અનુસૂચિત આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!