INTERNATIONAL

કોલંબિયામાં 7.4ના ભૂકંપ, 47થી વધુ લોકોના મોત, ભારે તારાજી

કોલંબિયામાં સોમવારે 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાથી દેશના અનેક શહેરોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના તીવ્ર આંચકા મેડેલિન, બોગોટા અને કેલી સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા. મેડેલિનમાં સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો અને જાહેર સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા.આ ભૂકંપને કારણે અત્યારસુધી 47 લોકોના મોત થયાનું સામે આવ્યુ છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દેશના પશ્ચિમી ભાગમાં આવેલા ચોકો ક્ષેત્રના ‘સેન જોસ ડેલ પાલમાર’ પાસે હતું. ભૂકંપની ઊંડાઈ આશરે 82 કિલોમીટર નોંધાઈ હતી.

આંચકા અનુભવાતા જ અનેક વિસ્તારોમાં લોકો ડરના માર્યા ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા.

પ્રાથમિક અહેવાલો મુજબ, કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે.

7.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઘણો શક્તિશાળી ગણાય છે, જેનાથી ઇમારતોને નુકસાન પહોંચી શકે છે. જોકે નુકસાનનો આધાર ભૂકંપની ઊંડાઈ અને ઇમારતોની મજબૂતી પર રહેલો છે.

Back to top button
error: Content is protected !!